આ 10 વસ્તુનું રાત્રે પલાળી સવારે કરો સેવન, નજીક નહીં આવે કોઈ રોગ
બદામ અને અખરોટ- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે બદામ અને અખરોટ ખૂબ જ લાભદાયક હોય છે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ જો દરરોજ સવારે ભૂખ્યા પેટે પલાળેલા બદામ અને અખરોટ ખાય છે તો તેમને આ બંને ઘાતક બિમારી માંથી રાહત મળે છે. બદામ અને અખરોટ પર કરવામાં આવેલ ઘણા અધ્યયનમાં આ વાત સાબિત થઈ ચૂકી છે.
ખજુર અને અંજીર- નાના બાળકોને જો તમે માતાનાં દૂધ ઉપરાંત કંઇક આપવાનું શરૂ કરો છો તો 8 અને 9 મહિનાનાં બાળકને રાત્રે પાણીમાં પલાળેલું ખજૂર અને અંજીરની છાલ કાઢીને આપનવું તેનાંથી તેમને શારુ રહેશે.
અજમો- આખી રાત એક ગ્લાસ પાણીમાં ચપટી અજમો પલાડી દો. અને સવારે આ પાણીને નવશેકુ કરી.. અજમો ગાળીને પાણી પી જવું. અને અજમો જવા દેવો. જો તમારાં ઘરે અજમાનાં પાન હોય તો આખી રાત તેને પલાળીને તેને બીજા દિવસે સવારે ગરમ કરીને પણ પી શકો છો. આમ કરવાથી પેટની તમામ સમસ્યાઓ જેવી કે ગેસ એસીડીટીનો અંત આવશે.
મેથીના દાણા- મેથીનાં દાણામાં ફાઇબર ખૂબ જ માત્રામાં મળી આવે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી હોય છે. રાત્રે ચોખ્ખા પાણીમાં થોડા મેથીના દાણા નાખી દો અને સવારે તેને ભૂખ્યા પેટે સેવન કરી લેવું. જો તમે ઇચ્છો તો એક દિવસ છોડીને પણ મેથીના દાણાનું સેવન કરી શકો છો.
ખસખસ- ખસખસને પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે, તે લોકોએ ખસખસનું સેવન સવારના સમયે કરવું જોઈએ. હકીકતમાં તેની અંદર વિટામીન-બી મળી આવે છે અને વિટામિન-બી મેટાબોલિઝમને વધારે છે.
અળસી- અળસીમાં ઓમેગા-૩ ફેટી એસિડ મળી આવે છે. રાતના સમયે તેને પલાળીને સવારના સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને આવું કરવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે. તેને ખાવાથી હાર્ટ એટેક આવવાની સંભાવના પણ ઓછી રહે છે.