બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવનાર એક્ટર શ્યામ સુંદરનું કેન્સરને કારણે નિધન...

અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે દુરદર્શન પર રામાયણ સિરિયલનું ફરીવાર પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, આ સીરીયલમાં સુગ્રીવ તથા બાલીનું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું તાજેતરમાં જ નિધન થયું છે. સીરીયલમાં રામ બનતા અરુણ ગોવિલે તથા લક્ષ્મણ બનેલા સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં શ્રધાંજલિ પાઠવી હતી.

શ્યામ સુંદર લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. તેમને હરિયાણાના કાલ્કામાં અંતિમ શ્વાસ લીધા હતા. અરુણ ગોવિલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, શ્યામ સુંદરના નિધનથી આઘાત લાગ્યો છે. તેમને રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવનો રોલ પ્લે કર્યો હતો. તેઓ ઘણાજ સારા વ્યક્તિ હતી, ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

શ્યામ સુંદરે જય હનુમાનમાં હનુમાનનો રોલ પળે કર્યો હતો, મહાભારતમાં ભીમનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તેમને હીર રાંઝા, ત્રિમૂર્તિ, છૈલા બાબુ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.