બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આપણા મતે રાષ્ટ્રભકિત એટલે શું?

જન્મથી લઈ મૃત્યુ સુધી માણસ હંમેશા કંઈક મેળવવા મથતો તો જ રહે છે.
પરંતુ એ મથામણમાં ક્યારેક ભૂલી જાય છે કે એ માણસ છે. માણસ તરીકેના મુળભુત લક્ષણો વિસરાઈ જાય છે. આપણે એ વાત પણ ભૂલી જઈએ છીએ કે જે પ્રાપ્ત કરવા આપણે આટલું મથીએ છીએ એ નાશવંત છે અને જે ચિરંજીવી છે, સંબંધ એને વિસરી જઈએ છીએ...

# વ્યક્તિ તરીકે આપણી પાસે ઓછામાં ઓછુ શું હોવું જોઈએ?
# પરિવાર, આપણા આડોશી-પાડોશી અને સમાજ આપણી પાસે શું અપેક્ષા રાખે છે?
# આપણે સમાજ પાસેથી જે પણ મેળવ્યું છે એના બદલામાં આપણે સમાજને શું આપ્યુ?

# શું દરેક વખતે સમાજ પાસેથી જ આપણ અપેક્ષા રાખવાની, આપણે સમાજને કઈ જ નહિ આપવાનું?

# રાષ્ટ્રભક્તિની શરુઆત આપણા ઘરથી ન કરી શકીએ?

જો આપણે આપણા ઘર, પરિવાર, સમાજ, મહોલ્લો, સોસાયટી અને ગામને ઠીક કરીશું તો દેશ સ્વાભાવિક જ બદલાશે.


આવા અનેકવિધ પ્રશ્નો આપણે આપણી જાતને પુછવા જ રહ્યા. સદીઓથી આપણે સ્વાર્થી રહ્યા છીએ. આ વૃત્તિને જ્યારે છોડીશું એ દિવસથી પરમેશ્વર આપણ પર ફરીથી આશીર્વાદ વરસાવશે. 'માનવ માનવ થાય તો ય ઘણું' ચાલો આ ઉક્તિને જીવનમાં ચરિતાર્થ કરીએ.


જય હિંદ..