બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

એવું તો શુ થયું કે રૈનાએ ચેન્નાઈને ટ્વિટર પર અનફોલો કર્યું હતું

ચેન્નાઈ સુપરકિંગ્સે ટીમની લિસ્ટમાંથી પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાનું નામ હટાવી દીધું છે. હવે રૈનાની વાપસી થવી લગભગ અશક્ય છે. આ વખતે ફેન્સ મિસ્ટર IPLને મિસ કરી રહ્યા છે. રૈનાએ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા વ્યક્તિગત કારણોસર લીગમાં ન રમવાનું નક્કી કર્યું હતું અને તે ભારત પાછો ફર્યો હતો.


રૈનાનું નામ IPLની વેબસાઈટથી પણ ગાયબ
રૈના ભારત પરત ફર્યો ત્યારથી ટીમમાં તેની વાપસી અંગે ચર્ચા શરૂ થઇ ગઈ હતી. પોતે રૈનાએ પણ કહ્યું હતું કે, તે ક્યારેયપણ પાછો ફરી શકે છે. જોકે, હવે લાગતું નથી કે તે ટીમમાં પાછો ફરશે. IPLની વેબસાઈટ પરથી રૈનાનું નામ હટાવી દેવામાં આવ્યું છે. ટીમના સેક્શનમાં બધા ખેલાડીઓનું નામ છે, પરંતુ રૈનાનું નામ નથી. તેથી એ નક્કી થઇ ગયું છે કે રૈના આ સીઝનમાં વાપસી કરવાનો નથી.


રૈનાએ ચેન્નાઈને અનફોલો કર્યું હતું
શુક્રવારે ચેન્નાઈની સતત બીજી હાર પછી સોશિયલ મીડિયા પર ફેન્સ રૈનાની વાપસીની માંગ કરી રહ્યા હતા. જે પછી રૈનાએ ચેન્નાઈને ટ્વિટર પર અનફોલો કરી દીધું હતું. સમાચારો અનુસાર, રૈનાએ શનિવારે ચેન્નાઈને ટ્વિટર પર ફોલો કરવાનું બંધ કરી દીધું હતું.